LIVE લોકસભા સ્પીકરની ચૂંટણી: ઓમ બિરલા ફરીથી લોકસભા સ્પીકર તરીકે ચૂંટાયા, ધ્વનિમતથી લેવાયો નિર્ણય; વોટિંગ કરવાની જરૂર જ ન પડી
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan26062024_062918_Om birla (1).webp)
- 26 Jun, 2024
18મી લોકસભાના પહેલા સત્ર દરમિયાન આજે નવા લોકસભા અધ્યક્ષની ચૂંટણી થઈ છે. ઓમ બિરલાને બીજી વખત સ્પીકર તરીકે ચૂંટવામાં આવ્યા છે. ધ્વનિમતથી તેમને લોકસભાના સ્પીકર તરીકે ચૂંટવામાં આવ્યા છે. નેશનલ ડેમોક્રેટિક એલાયન્સે(NDA) રાજસ્થાનના કોટાથી ત્રીજી વખત સાંસદ તરીકે ચૂંટાયેલા ઓમ બિરલાને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. તો બીજી તરફ INDIA બ્લોકે કેરળના મવેલીકારથી 8 વખત સાંસદ બનેલા કોડિકુન્નિલ સુરેશને મેદાનમાં ઉતાર્યા હતા.
543 સાંસદોનું સંખ્યાબળ ધરાવતી લોકસભામાં હાલ 542 સાંસદ છે. કારણ કે કેરળની વાયનાડ સીટ રાહુલ ગાંધીના રાજીનામા પછીથી ખાલી છે. લોકસભામાં 293 સાંસદો ધરાવતા એનડીએની બહુમતી છે. બીજી તરફ વિપક્ષના ઈન્ડિયા બ્લોકની પાસે 223 સાંસદ છે. એનડીએ કે ઈન્ડિયા ગઠબંધનમાં ન હોય તેવા સાંસદોની સંખ્યા લોકસભામાં 16 છે. તેમાં કેટલાક અપક્ષ ઉમેદવારો પણ સામેલ છે. જો આ 16 સાંસદો ઈન્ડિયા બ્લોકના ઉમેદવારોનું સમર્થન કરે છે, તો તેમની સંખ્યા 249 સુધી પહોંચી જશે. જ્યારે ચૂંટણી જીતવા માટે 271 વોટની જરૂર હશે.
લોકસભા સ્પીકરની ચૂંટણીને લઈને સાંસદોને ડિવિઝન નંબર મળ્યો નથી. તેથી વોટિંગ મશીનથી મતદાન થશે નહીં. એવામાં ચિઠ્ઠીથી મતદાન થશે. લોકસભા સ્પીકરની ચૂંટણીને લઈને અસહમતિ પછી તૃણમૂલ કોંગ્રેસે ઈન્ડિયા બ્લોકના ઉમેદવાર કે.સુરેશનું સમર્થન કરવાની જાહેરાત કરી છે. સંસદીય કિરન રિજિજૂએ કહ્યું કે અમે સહમતિમાં વિશ્વાસ કરીએ છીએ. અમારી પાસે સંખ્યા છે પરંતુ અમે સહમતિ ઈચ્છીએ છીએ. અમે કોંગ્રેસ પાર્ટીને અપીલ કરીએ છે કે તે સ્પીકર પદની ચૂંટણી ન લડે. આ સંખ્યાબળનો મામલો નથી. જો ચૂંટણી થશે તો અમે તેના માટે તૈયાર છે. આપણે સર્વસમ્મતિથી સ્પીકરની ચૂંટણી કરવી જોઈએ.
ટીએમસી સંસદીય દળે ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીને સ્પીકર માટે વોટિંગ પર અંતિમ નિર્ણય લેવાની જવાબદારી સોંપી છે. ટીએમસીએ કે.સુરેશ પર એક તરફી નિર્ણય લેવાના કોંગ્રેસ હાઈકમાન્ડના નિર્ણય અંગે નારાજગી જાહેર કરી છે. તે પછીથી રાહુલ ગાંધીએ વ્યક્તિગત રીતે અભિષેક બેનર્જી સાથે સંસદમાં વાત કરી અને પછી મમતા બેનર્જીને ફોન કર્યો હતો. ટીએમસીની ચિંતાઓને લઈને મમતાએ લગભગ 20 મિનિટ સુધી રાહુલ ગાંધી સાથે વાતચીત કરી હતી. ટીએમસીએ કોંગ્રેસ સમક્ષ એ વાતનું પુનરાવર્તન કર્યું કે આ પ્રકારનો નિર્ણય કરતા પહેલા તેણે ઈન્ડિયા બ્લોકના સભ્યોની સલાહ લેવી જોઈએ. તે પછી ટીએમસીએ બેઠક માટે ડેરેક અને કલ્યાણ બેનર્જીને ખડગેના નિવાસ સ્થાને મોકલવાનો નિર્ણય કર્યો હતો. હવે ટીએમસીએ તેના લોકસભા સાંસદોને સવારે 10.40 વાગ્યે જૂના સંસદ ભવનમાં એકત્રિત થવા અંગેનું વ્હીપ જાહેર કર્યું છે.
લોકસભાના સ્પીકરની ચૂંટણીને લઈને ટીએમસીએ એક બેઠક કરી હતી. સુદીપ બંદોપાધ્યાય, કલ્યાણ બેનર્જી, અભિષેક બેનર્જી અને કેટલાક વરિષ્ઠ સાંસદોએ ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીની સાથે આ મુદ્દા પર ચર્ચા કરી હતી. લોકસભા સ્પીકરની ચૂંટણી પહેલા કોંગ્રેસ સાંસદ મનિકમ ટૈગોરે પૂછ્યું કે શું ટીડીપી અને જેડીયુના સાંસદ આજે સ્પીકરની ચૂંટણીમાં વિવેક સાથે વોટ કરશે? 8 વખત સાંસદ રહેલા અને દક્ષિણ ભારતના દલિત નેતાને આપણા સમર્થનની જરૂરિયાત છે. બાલયોગી ગારુ પછી આ વ્યક્તિ એટલે કે કે.સુરેશ આપણા સમર્થનના હકદાર છે. આ કારણે સુરેશને વોટ આપો અને સમાજિક ન્યાય માટે ઉભા થાવ.